અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને, એને કેમ લાગે હરિનો સંગ રે ;
શિષ્ય કરવા નહિ એવાને રે, જેને પૂરો ચડયો ન હોય રંગ રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! અંતર નથી જેનું ઊજળું ને, જેને મોટાપણું મનમાંય રે ;
તેને બોધ નવ દિજીએ ને, જેની વૃત્તિ હોય આંય ને ત્યાંય રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! શઠ નવ સમજે સાનમાં ને, ભલે કોટિ કરે ઉપાય રે ;
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય રે, એવાની અંતે ફજેતી થાય રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! એવાને ઉપદેશ કદી ન દેવો ને, ઊલટી ઉપાધિ વધતી જાય રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવાંનો કરવો નહિ ઈતબાર રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…