મેદાનમાં જેણે મોરચો માંડયો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
August 16th, 2011
મેદાનમાં જેણે મોરચો માંડયો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
Audio Playerમેદાનમાં જેણે મોરચો માંડયો ને, જેણે પકડયો વચનનો વિશ્વાસ રે
ચૌદ લોકમાં કોઈથી બીએ નહિ રે, થઈ બેઠાં સદ્દગુરુના દાસ રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને…
સાન સદ્દગુરુની જે નર સમજ્યો રે, તે અટકે નહિ માયામાં ય રે
રંગરૂપમાં લપટાય નહિ રે, જેને પડી ગઈ વચનની છાંય રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને..
રહેણીકરણી એને ટંકશાળ કહીએ રે, એ તો ડગે નહિ જરાય રે
વચન સમજવામાં સદાય પરિપૂરણ, તેને કાળ કદી નવ ખાય રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને…
સોઈ વચન તો સદ્દગુરુ ઘરના રે, ગમ વિના ગોથાં ખાય રે
ગંગાસતી એમ બોલિયાં રે, વચન ન સમજીયા ઈ નરકે જાય રે…
મેદાનમાં જેણે મોરચો માંડયો ને…