સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના સંત સાહિત્ય, લોકવિદ્યાઓની તમામ શાખાઓ, લોકસાહિત્ય, ચારણી-ડિંગળી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વિવિધ સંત પરંપરાઓ, તેમના સિધ્ધાંતો, વિવિધ સાધના - ઉપાસના પધ્ધતિઓ અને સંતવાણીની મૂળ પરંપરાઓ વિશે પ્રમાણભૂત સંશોધન - અધ્યયન - સંપાદન - પ્રકાશન - પ્રસાર કરતી એકમાત્ર સંસ્થા એટલે...
સત નિર્વાણ ફાઉન્ડેશન, આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટ
Get the Flash Player to see this image rotator.
પરંપરિત ભજનવાણીના સર્જકો – સંતો – ભક્તો – લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ સત્ત સાહિત્યની જાળવણી માટે વર્ષોથી શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ કામ કરી રહ્યા છે. ડૉ. નિરંજન રાજ્યગુરુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંતપરંપરાનું ખૂબ ચીવટ અને પરિશ્રમપૂર્વક અધ્યયન કરનાર સૂઝ સમજવાળા સંશોધક અને બીજી તરફ એકદમ અલગારી, સંત સાહિત્યના મરમી ભજનિક ગાયક. વતન ઘોઘાવદરમાં સત નિર્વાણ ફાઉંડેશન નામની સંત સાહિત્ય પરંપરાનું સંવર્ધન સંશોધન કરતી સંસ્થા ઉભી કરીને એમણે હસ્તપ્રતો તથા કંઠ્યપરંપરામાં સચવાયેલા 3000 ભજનોને તથા વિવિધ ભજનિકોએ પરંપરાના રાગો – ઢાળોમાં ગાયેલાં એ સર્વ ભજનોની ધ્વનિમુદ્રિત કરીને એ કેસેટોનો ખંત પૂર્વક સંગ્રહ કરેલો જે અભ્યાસીઓ માટેની મૂલ્યવાન સામગ્રી છે. તો આસ્વાદકો માટેનો લોભામણો ખજાનો છે. સંતવાણીના આ અઢળક ખજાનામાંથી સાંભળો લોકવાણીની થોડીક ઝલક..
સંપર્ક : ડો.નિરંજન રાજ્યગુરુ, આનંદ આશ્રમ ઘોઘાવદર, તા.ગોંડલ, જિ.રાજકોટ ૩૬૦ ૩૧૧
ફોન : ૦૨૮૨૫ – ૨૭૧૫૮૨, ૨૭૧૪૦૯ સેલફોન. ૯૮૨૪૩ ૭૧૯૦૪
ફોન : ૦૨૮૨૫ – ૨૭૧૫૮૨, ૨૭૧૪૦૯ સેલફોન. ૯૮૨૪૩ ૭૧૯૦૪
Dr. Niranjan Rajyaguru, Anand-Ashram Ghoghavadar, Ta.Gondal, Dist.Rajkot, Gujarat (India) 360 311
Phone : 02825 - 271582, 271409 Cell No. : 98243 71904
Phone : 02825 - 271582, 271409 Cell No. : 98243 71904

