કોણે બનાયો પવન ચરખો… (રવિ સાહેબ)

કોણે બનાયો પવન ચરખો…રવી સાહેબ – વાના જેતા આડેદરા

કોણે બનાવ્યો પવન ચરખો… (રવિ સાહેબ) – મુગટલાલ જોશી

એ જી એના ઘડનારા ને પરખો‚

એ જી તમે નૂરતે સુરતે નિરખો‚

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚

દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚

ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚

પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો

ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…

જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply