અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને, એને કેમ લાગે હરિનો સંગ રે ;
શિષ્ય કરવા નહિ એવાને રે, જેને પૂરો ચડયો ન હોય રંગ રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! અંતર નથી જેનું ઊજળું ને, જેને મોટાપણું મનમાંય રે ;
તેને બોધ નવ દિજીએ ને, જેની વૃત્તિ હોય આંય ને ત્યાંય રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! શઠ નવ સમજે સાનમાં ને, ભલે કોટિ કરે ઉપાય રે ;
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય રે, એવાની અંતે ફજેતી થાય રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! એવાને ઉપદેશ કદી ન દેવો ને, ઊલટી ઉપાધિ વધતી જાય રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવાંનો કરવો નહિ ઈતબાર રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply