આદિ અનાદિ વચન છે પરિપૂરણ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

આદિ અનાદિ વચન છે પરિપૂરણ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

આદિ અનાદિ વચન છે પરિપૂરણ, વચનથી અધિક નથી કાંઈ રે
વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે રે, પછી તો સુરતા નિર્ગુણમાં સમાય,
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
ભાઈ રે ! કર્મકાંડ એને નડે નહિ રે, જેને આવ્યો વચનનો વિશ્વાસ રે
પગલું ભરે પણ વચન તપાસે ને, થઈ રહે ગુરુજીના દાસ રે…
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
ભાઈ રે ! જનક વિદેહી ભૂલી ગયો ને, દીધો જેણે પેઘડે પાવ રે
એક વરસ સુધી તેમાં રહ્યો પોતે ને, પછી બદલ્યો વચનનો ભાવ રે…
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..
ભાઈ રે ! દેહ છતાં તેને વિદેહી કીધો રે, વચન તણો તે પ્રતાપ રે
ગંગાસતી એમ બોલિયાં રે, જેને નહિ ત્રિવિધનો તાપ રે…
આદિ અનાદિ વચન છે પરિપૂરણ..

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply