એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે, મોટો કહું ઈતિહાસ રે ;
તે ઈતિહાસને સાંભળશો ત્યારે, પ્રગટે પૂરણ મહા વિશ્વાસ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! મનવાણીથી પરની વૃત્તિ જેણે, મોહજીત એવું તેનું નામ રે ;
ભજન કરે છે આઠ પહોર હરિનું, એ તો લે છે નિરંતર નામ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! વેદ જેનાં વખાણ કરે છે રે, જે ખોજ્યો ન આવે હાથ રે ;
બેહદની જેણે ભક્તિ કીધી રે, હરિ રમે છે તેની સાથ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! મળવિક્ષેપ જેના મટી ગયા રે, ટળી ગયા દૂબજાના ડાઘ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવાને પ્રગટે વૈરાગ રે…
એકાગ્ર ચિત્ત કરીને…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply