કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે ;

મરને આવીને ધનનો ઢગલો કરે ને,  ભલે હોય મોટો ભૂપ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

ભજની પુરુષે બેપરવા રહેવું ને, રાખવી નહિ કોઈની પરવાહ રે ;

મોટાની આગળ નવ ઉચ્ચારવું ને, બાંધવો સુરતાનો એકતાર રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને, ગાળી દેવો તેનો મોહ રે ;

દયા કરવી તેની ઉપર ને, રાખવો ઘણો કરીને સોહ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહિ કોઈ પર દ્વેષ રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, એવાને દેખાડવો હરિનો દેશ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply