પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ ! એનો પરિપૂરણ કહું ઈતિહાસ ;
એકાગ્રચિતે સાંભળો પાનબાઈ ! એ તો થયાં હરિનાં દાસ રે…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
ભાઈ રે ! ગોવિંદનું ગીત કીધું જયદેવે જ્યારે, નામ અષ્ટપદ કહેવાય રે ;
પદપદ પ્રતે ભક્તિરસ પ્રગટયો, જેથી પદ્દમાવતી સજીવન થાય રે…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
ગોપીયું ને કૃષ્ણજીની લીલા લખતાં, જયદેવ રિયા જો ને શરમાઈ ;
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા, પ્રત્યક્ષ હસ્તપ્રત માંઈ…
પદ્માવતીનો જયદેવ સ્વામી…
એવી રે ભગતિ છાનામાં છાની પાનબાઈ ! જો હું કહું છું તે સમજાય ;
ગંગાસતી એમ બોલિયાં, તો જીવ મટીને ગોવિંદરૂપ થાય…
પદ્માવતીનો જયદેવ સ્વામી…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply