વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વચન સુણીને બેઠાં એકાંતમાં ને, સુરતા લગાડી ત્રિકુટિમાંય રે ;

સંકલ્પ વિકલ્પ સરવે છુટી ગયા ને, ચિત્ત લાગ્યું વચનુની માંય રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ખાનપાનની ક્રિયાશુદ્ધિ પાળે ને, જમાવી આસન એકાંત માંય રે ;

જાતિ અભિમાનનો ભેદ મટી ગયો ને, વરતે છે એવા વ્રતમાન રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ભાઈ રે ! ચંદ્ર સૂરજની નાડી જે કહીએ રે, તેનું પાળે છે વ્રતમાન રે ;

ચિત્ત માત્ર જે વચનમાં મૂકે રે ; એથી આવી ગઈ છે સાન રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ક્રિયાશુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને, પ્રગટયું છે નિરમળ જ્ઞાન રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, કીધો વાસના સરવનો ત્યાગ રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply