સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે,
થયો પાનબાઈને અફસોસ રે ;
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો,
મટી ગયો મનનો સર્વે શોક રે…
સતી…
અંતર બદલ્યું નિર્મળ થઈને બેઠાં,
સંકલ્પ સમાણો ચેતનમાંય રે ;
હાંણ ને લાભની મટી ગઈ કલ્પનાને,
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંય રે…
સતી…
જ્યાં રે જોવે ત્યાં હરિ ભાળ્યા,
રસ પીધો અગમ અપાર રે ;
એક નવધા ભક્તિને સાંધતાં,
મળી ગયો તુરીયામાં તાર રે…
સતી…
એટલામાં વજોભા આવિયા,
તેને કરાવ્યો સત્સંગ રે ;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં ને,
હવે કોણ ચડાવે પૂરણ રંગ રે…
સતી…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply