સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને, આણવું નૈં અંતરમાં અભિમાન રે ;
પ્રાણીમાત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને, અભિયાસે જીતવો અપાન રે…
સરળ ચિત્ત રાખીને…
ભાઈ રે ! રજકર્મથી સદા દૂર રહેવું ને, કાયમ કરવો અભ્યાસ રે ;
પાંચે પ્રાણને એક ઘરે લાવવા, શીખવો વચનનો વિશ્વાસ રે…
સરળ ચિત્ત રાખીને…
ડાબી છે ઈંગલા ને જમણી છે પિંગલા, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે ;
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું રે, એમ કાયમ રાખવું વ્રતમાન રે…
સરળ ચિત્ત રાખીને…
નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે રે, નક્કી જાણવું નિરધાર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, આ ખેલ છે અગમ અપાર રે…
સરળ ચિત્ત રાખીને…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply