Archive

Archive for the ‘પ્રભુદાસ ગોંડલીયા’ Category

મન મતવાલો પ્યાલો ચાખિયો… (લખીરામ)

મન મતવાલો પ્યાલો ચાખિયો… લખીરામ – પ્યાલો – પ્રભુદાસ ગોંડલીયા

મન મતવાલો પ્યાલો ચાખિયો‚ હે જી પ્યાલો પ્રેમ હૂંદો પાયો‚

જરા રે મરણ વા કો ગમ નહીં‚ જરા રે મરણની જેને ભે નહીં ને

સદગુરુ શબદુમાં પાયો… સદગુરુ ચરણુંમાં આવો…

મન મતવાલો…

મન રે મતવાલો પ્યાલો પ્રેમનો‚ પ્યાલો જેણે પ્રેમ હૂંદો પીધો રે ;

જરા રે મરણ વા કો ગમ ભે નહીં ને‚

ગુરુજીના વચનુંમાં‚ ગુરુજીના વચનુંમાં સીધ્યો રે…

મન મતવાલો…

એ… બંક રે નાડી ધમણ્યું ધમે‚ બ્રહ્મ અગનિ‚ બ્રહ્મ અગનિ પરજાળી રે‚

ઈંગલા ને પિંગલા સુખમણા‚

ત્રિકુટિમાં લાગી… ત્રિકુટિમાં લાગી ગઈ તાળી રે…

મન મતવાલો…

વિના દીપક વિના કોડિયે‚ ઘૃત વિના જાગી‚ ઘૃત વિના જાગી જ્યોતિ રે ;

ચાંદો ને સૂરજ દોનું સાખિયા‚

સનમુખ રે’વે‚ સનમુખ રે’વે સજોતિ રે…

મન મતવાલો…

સૂન રે શિખર પર ભઠ્ઠી જલે‚ વરસે અમીરસ‚વરસે અમીરસ ધારા રે‚

અખંડ કુમારી પ્યાલો ભરી લાવે

પહોંચે પીવન સરજનહારા રે…

મન મતવાલો…

ગગન ગાજે ને ઘોયું દિયે‚ ભીંજાય ધરણી‚ ભીંજાય ધરણી અંકાશા રે‚

પંડે ને વ્રેહમંડે ધણી મારો પ્રગટિયા‚

બોલ્યા લખીરામ… બોલ્યા લખીરામ દાસા રે…

મન મતવાલો…