એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને,
વાળ્યું પદ્માસન રે ;
મન, વચનને સ્થિર કરી દીધું ને,
ચિત્ત જેનું પ્રસન્ન રે…
એટલી…
ભાઈ રે ! ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને,
લાગી સમાધી અખંડ રે ;
મહાદશ પ્રગટી તે ઘડી ને,
હરીને જોયા તે પંડ બ્રહ્માંડ રે…
એટલી…
ભાઈ રે ! બાહરરૂપ જેની વરતી બની ગઈ ને,
અંતર રહ્યું નહિ લગાર રે ;
સૂરતાએ સૂરમાં જઈને વાસ કીધો ને,
થયા અરસપરસ એકતાર રે…
એટલી…
ભાઈ રે ! નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને,
વરતી લાગી ઈડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને,
મળી ગયો હરિમાં તાર રે…
એટલી…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply