મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને, મિટાવું સરવે કલેશ રે
હરિનો દેશ તમને એવો દેખાડું ને, જ્યાં નહિ વરણ કે વેશ રે…
મન સ્થિર કરીને…
સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને, સૂક્ષ્મ કરવો આહાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને, વરતી ન ડોલે લગાર રે…
મન સ્થિર કરીને…
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને, રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભિયાસ કરવો ને, ચડાવવો નિત્ય નવો રંગ રે…
મન સ્થિર કરીને…
ચિત્ત વિષયમાંથી ખેંચવું ને, રહેવું સદાય ઈન્દ્રિયજીત રે
ગંગાસતી એમ બોલિયાં રે, તેથી થાય નહિ વિપરીત ચિત્ત રે…
મન સ્થિર કરીને…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply