કળજુગમાં જતિ સતી સંતાશે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગમાં જતિ સતી સંતાશે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગમાં જતિ સતી સંતાશે ને, કરશે એકાંતમાં વાસ રે ;
કુડા ને કપટી ગુરુને ચેલા રે, પરસ્પર નહિ વિશ્વાસ રે… કળજુગમાં…
ગુણી ગુરુ ને ચતુર ચેલકો રે, બેયમાં હાલે તાણાવાણ રે ;
ગુરુના અવગુણ ગોતવા માંડે રે, ગાદીના હાલે ઘમસાણ રે…કળજુગમાં…
ચેલકો બીજા ચેલકા પર મોહે રે, પોતે ગુરુજી થઈને બેસે રે ;
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને રે, જ્ઞાન કે ગમ નહિ લેશ..કળજુગમાં…
ચેલો ચેલા કરી બાંધશે કંઠિયું રે, બોધમાં કરે બકવાદ રે ;
પેટને પોષવા ભીખીને ખાશે રે, પુરુષાર્થમાં પરમાદ રે…કળજુગમાં…
ધનને હરવા છળ કરશે ને, નિત્ય નિત્ય નવા ગોતે લાગ રે ;
આસન થાપી કરશે ઉતારાને, વિષયમાં એને અનુરાગ રે…કળજુગમાં…
વાદવિવાદ ને ધર્મ કરમમાં રે, ચૂકે નહિ કરતાં એ હાણ રે ;
ગંગાસતી કહે એવાથી ચેતજો રે, કળજુગના જાણી પરમાણ રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply