કળજુગ આવ્યો હવે કારમો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગ આવ્યો હવે કારમો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર ;
ભક્તિ ધરમ તે માંહે લેપાશે, રહેશે નહિ તેની મર્યાદ…
ગુરુજીના કહેવા ચેલા નહિ માને ને, ઘેર ઘેર જગાવશે જ્યોત રે ;
નર ને નાર મળી એકાંતે બેસશે, રહેશે નહિ આતમ ઓળખાણ…
કળજુગ આવ્યો હવે કારમો રે…
વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જુઠા હશે નર ને નાર રે ;
આદિ ધરમની ઓથ લેશે ને, નહિ રાખે અલખ ઓળખાણ રે…
કળજુગ આવ્યો હવે કારમો રે…
ભાઈ રે ! એકબીજાના અવગુણ જોવાશે ને, કરશે તાણાવાણા રે ;
કજિયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે, નહિ આવે ધણી એને દ્વાર રે…
કળજુગ આવ્યો હવે કારમો રે…
સાચા મારા ભાઈલા અલખ આરાધે, ધણી પધારે એને દ્વાર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે કરજો સાચા કેરો સંગ રે…
કળજુગ આવ્યો હવે કારમો રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply