ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે, ફળી ગઈ પૂરવની એને પ્રીત રે ;
ટળી ગઈ અંતરની આપદા ને, પાળી સાંગોપાંગ રૂડી રીત રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…
નાભિકમળથી પવન ઊલટાવ્યો ને, ગયો પશ્ચિમ દિશા માંય રે ;
સુરતા ચડી ગઈ શુનમાંય રે, ચિત્તમાંહી પુરુષ ભાળ્યા ત્યાંય રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…
અવિગત અલખ અખંડ અનાદિ ને, અવ્યક્ત પુરુષ અવિનાશ રે ;
ભાળીને સુરતા તેમાં લીન થઈ ગઈ ને, હવે મટી ગયો જનમનો ભાસ રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…
ઉપદેશ મળ્યો ને ટળી ગઈ છે આપદા ને, કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે…
ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply