હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

હેઠાં ઊતરીને પાયે લાગ્યાં ને, ઘણો કીધો છે ઉપકાર રે ;
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી ને, લાગ્યો અકર્તા પુરુષમાં તાર રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…
અખંડ અમર અવિનાશી ભાળ્યા રે, વસ્તુ છે અગમ અપાર રે ;
દયા કરીને મુજને દરશાવ્યા રે, અનામ એક નિરધાર રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…
સમજીને વાસના સમાઈ ગઈ રે, અનુપમ છે એક અરૂપ રે ;
આતમાને ભિન્ન નવ જાણો ને, એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…
સરવેની સાથે મિત્રતા રાખજો રે, નહિ પ્રીત નહિ વેર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવું સમજીને કરવી લે’ર રે…
હેઠાં ઊતરીને પાયે લાગ્યા…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply