પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને,  કરવું પડે નહિ કાંઈ રે

સદ્દગુરુ વચનની છાયા પડી ગઈ તેને, અઢળક પ્રેમ જાગ્યો ઉરમાં ય..

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને, હરિએ આરોગ્યાં એઠાં બોર રે,

આવરણ અંતરમાં એકે નહિ આવ્યું રે, ત્યાં ચાલે નહિ જમનું જોર…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

ભાઈ રે ! પ્રેમ પ્રગટયો વિદુરની નારીને રે, ભૂલી ગઈ દેહ કેરું ભાન રે

કેળાંની છાલમાં હરિને રિઝાવ્યા ને,, તેને છૂટયું અંતરનું માન રે…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

એવો પ્રેમ પાનબાઈ ! જેને પ્રગટયો રે, તે સ્હેજે હરિ ભેગો થાય રે

ગંગાસતી એમ બોલિયાં રે, તેથી જમરાજા દૂર જાય રે…

પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply