શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહિ વ્રતમાન રે

ચિત્તની વરતી જેની સદાય નિરમળી, જેને મા’રાજ થયા મે’રબાન રે…

શીલવંત સાધુને…

ભાઈ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહિ ઉરમાં, જેને પરમારથમાં પ્રીત રે

મન, કર્મ, વાણીએ વચનુંમાં ચાલે ને,  રૂડી પાળે એવી રીત રે…

શીલવંત સાધુને…

આઠે પો’ર મનમસ્ત થઈ રે વે, જેને જાગી ગયો તુરીયાનો તાર રે

નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો આહાર રે…

શીલવંત સાધુને…

સંગત્યું તમે જ્યારે એવાની કરશો ને, ત્યારે ઉતરશો ભવપાર રે

ગંગાસતી એમ બોલિયાં રે, જેને વચનુંની સાથે વે’વાર રે…

શીલવંત સાધુને…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply