વિવેક રાખી તમે સમજીને ચાલજો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વિવેક રાખી તમે સમજીને ચાલજો ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વિવેક રાખી તમે સમજીને ચાલજો ને, વસતું રાખજો ગુપત રે ;
મુખનાં મીઠાં ને અંતરનાં ખોટાં, એવાની સાથે ન થશો લુબ્ધ રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…
અજડ અવિવેકીથી વિમુખ રહેવું, જેની રહેણીમાં નહિ લગાર રે ;
વચન લંપટ ને વિષય ભરેલા રે, એવાની સાથે મેળવવો નહિ તાર રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…
અહંતા, મમતા, આશા ને અન્યાય રે, ઈર્ષા ઘણી ઉરમાંય રે ;
એવા માણસને અજ્ઞાની ગણવા ને, પોતાની ફજેતી થાય રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…
દાઝના ભરેલા દૂબજામાં પૂરા ને, નહિ વચનમાં વિશ્વાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે પામજો એવાથી ત્રાસ રે…
વિવેક રાખી તમે સમજીને ચાલજો રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply