જીવ અને શિવની થઈ ગઈ એકતા ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

જીવ અને શિવની થઈ ગઈ એકતા ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

જીવ અને શિવની થઈ ગઈ એકતા ને, પછી કહેવું રહ્યું નથી કાંઈ રે ;
આ રસ પીધો જેણે પ્રેમથી રે, તે સમાઈ રહ્યો ધૂનની માંય રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…
તમે હવે હરિ ભરપૂર ભાળ્યા રે, વરતો કાયમ ત્રિગુણની પાર રે ;
રમો સદા એના સંગમાં ને, સૂરતા લગાડો બાવનની બહાર રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…
ભાઈ રે ! મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને, તૂટી ગઈ સઘળી ભ્રાંત રે ;
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને, જ્યાં વરસે છે સદા સ્વાંત રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…
સદા આનંદ હરિના સ્વરૂપમાં રે, જ્યાં મટી મનની તાણાવાણ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે પદ પામ્યાં નિરવાણ રે…
જીવ અને શિવની થઈ ગઈ એકતા…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply