સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે, રાખજો રૂડી રીત રે ;
અજાણ્યા સાથે વાત નવ કરજો રે, જેનું મન સદા વિપરીત રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…
આગળ ઘણા મહાત્મા થઈ ગયા રે, તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે ;
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિએ તો, ઉપજાવે અંતરમાં ખેદ રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…
ભાઈ રે ! લિંગવાસનામાં જેનું ચિત્ત લાગ્યું રે, આસક્ત છે વિષયમાંય રે ;
એવાને ઉપદેશ કદી નવ કરવો રે, જેને લાગે નહિ લેશ ઉરમાંય રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…
ભાઈ રે ! ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને, ચૂકવો નહિ અભ્યાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં રહે નહિ દુર્જનનો વાસ રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply