Archive

Posts Tagged ‘ડૉ.નિરંજન રાજ્યગુરુ’

છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

છૂટાં છૂટાં તીર હવે મારો મા બાઈ જી ! અમથી સહ્યાં નવ જાય ;

કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈ જી ! છાતી મારી ફાટુંફાટું થાય…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વીંધાણાં બાઈ જી ! મુખથી નવ કહેવાય ;

આપોને વસ્તુ મુને લાભ જ લેવા, પરિપૂરણ કરીને ક્રિયા ય…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

બાણ રે હજી તમને વાગ્યાં નથી, બાણ રે વાગ્યાને છે હજી વાર ;

બાણ રે વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં, પછી દેહદશા મટી જાય…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

બાણ વાગ્યાં હોય તો બોલાય નહિ, પરિપૂરણ વચનમાં વરતાય ;

ગંગાસતી એમ બોલિયાં રે ; તે જ પૂરણ અધિકારી કહેવાય રે…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

દળીદળીને ઢાંકણીમાં ઉધરાવવું રે, એવું કરવું નહિ કામ રે ;

આપણી વસ્તુ જાય અવરથા રે, એવાનું લેવું નહિ નામ રે…

દળીદળીને…

સેવા કરવી તો છેલ્લા જનમવાળાની ને, ભજનમાં જોવા સંસ્કાર રે ;

જો પૂરવનો પુરુષાર્થ હોય એહનો રે, તો મેળવવો વાતનો એકતાર રે…

દળીદળીને…

ભાઈ રે ! વિષયવાળાને આ વાત ન કહેવી ને, એથી રાખવું અલોપ રે ;

દેખાદેખીએ મરને કંઠી બંધાવે રે, શુદ્ધ રંગનો ચડે ન ઓપ રે…

દળીદળીને…

ઉત્તમ કર્મ જો કરે ફળની આશાએ રે, એવાને લાગે હરિ નો લેશ રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, તેઓ જ્યાંથી ભાળે અખંડ દેશ રે…

દળીદળીને…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે ;

મરને આવીને ધનનો ઢગલો કરે ને,  ભલે હોય મોટો ભૂપ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

ભજની પુરુષે બેપરવા રહેવું ને, રાખવી નહિ કોઈની પરવાહ રે ;

મોટાની આગળ નવ ઉચ્ચારવું ને, બાંધવો સુરતાનો એકતાર રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને, ગાળી દેવો તેનો મોહ રે ;

દયા કરવી તેની ઉપર ને, રાખવો ઘણો કરીને સોહ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહિ કોઈ પર દ્વેષ રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, એવાને દેખાડવો હરિનો દેશ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ ! પિયાલો આવ્યો છે તત્કાળ ;

વખત ગયા પછી પસ્તાવો થાશે પાનબાઈ ! અચાનક ખાશે તમને કાળ…

પી લેવો હોય તો રસ પી લેજો…

જાણવી હોય તો વસ્તુ જાણી લે જો, નીકર જમીનમાં વસ્તુ જાશે ;

નખશીખ ગુરુજીએ હ્રદયમાં ભરી તો આ, ઠાલવવાનું ઠેકાણે કે વાશે…

પી લેવો હોય તો રસ પી લેજો…

આપ રે મૂઆ વિના અંત નહિ આવે રે, ગુરુગમ વિના ગોથાં મરને ખાવે ;

ખોળામાં બેસાડી વસ્તુ તમને આપું, જેથી આપપણું તરત ગળી જાવે…

પી લેવો હોય તો રસ પી લેજો…

આ વખત આવ્યો છે તમારે ચેતવાનો રે, માન મેલીને થાઓ હોશિયાર ;

ગંગાસતી એમ બોલિયાં રે,  હવે તમે હેતનાં બાંધો હથિયાર…

પી લેવો હોય તો રસ પી લેજો…

પ્યાલો દુજો કોણ પીવે… – ત્રિકમ સાહેબ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

પ્યાલો દુજો કોણ પીવે… – ત્રિકમ સાહેબ – ડૉ.નિરંજન રાજ્યગુરુ

હે જી મારા ગુરુ એ પાયો રે અગાધ‚ પ્યાલો દૂજો કોણ પીવે… ત્રિકમ સાહેબ – પ્યાલો – હેમંત ચૌહાણ

હે જી મારા‚ ગુરુજીએ પાયો રે અગાધ‚

પ્યાલો દૂજો કોણ પીવે ?… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦

સત કેરી કુંડી મારા સંતો ! શબદ લીલાગર‚ શબદ લીલાગર‚

એક તૂં હિ‚ મારા સતગુરુ ઘૂંટણહાર… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦

શ્રવણેથી રેડયો મારા સંતો ! મારે રૂદિયે ઠેરાણો રે‚ મારે રૂદિયે ઠેરાણો રે‚

હે જી મારી‚ દેયુંમાં હુવો રે રણુંકાર… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦

ચડતે પિયાલે મારા સંતો ! ગગન દરશાણાં રે‚ ગગન દરશાણાં રે‚

એકતાર જમીં ને આસમાન… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦

નામ અને રૂપ નહીં મારા‚ ગુરુજીના દેશમાં રે‚ ગુરુજીના દેશમાં રે‚

હે જી એમ બોલ્યા છે ત્રીકમદાસ… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,  મેલી દઈ આ લોકની મરજાદ ;

હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદ ને વિવાદ…

રમીએ તો રંગમાં રમીએ…

ભાઈ રે ! કર્તાપણું કોરે મૂકશો, ત્યારે આવશે પરપંચનો અંત રે ;

નવધા ભગતિમાં નિરમળા રહેવું, એમ કહે છે વેદ ને સંત…

રમીએ તો રંગમાં રમીએ…

ભાઈ રે ! સાંગોપાંગ એક  રસ સરખો પાનબાઈ ! બદલે ન બીજો રંગ ;

સાચાની સંગે કાયમ રમવું પાનબાઈ ! કરવી રે ભગતિ અભંગ રે…

રમીએ તો રંગમાં રમીએ…

ત્રિગુણ રહિત મરને કરે નિત ક્રિયા, લાગશે નહિ કરતાનો ડાઘ રે ;

ગંગાસતી એમ બોલિયાં, તેને નડે નહિ કરમનો ભાગ…

રમીએ તો રંગમાં રમીએ…

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

વચન સુણીને બેઠા એકાંતમાં ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વચન સુણીને બેઠાં એકાંતમાં ને, સુરતા લગાડી ત્રિકુટિમાંય રે ;

સંકલ્પ વિકલ્પ સરવે છુટી ગયા ને, ચિત્ત લાગ્યું વચનુની માંય રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ખાનપાનની ક્રિયાશુદ્ધિ પાળે ને, જમાવી આસન એકાંત માંય રે ;

જાતિ અભિમાનનો ભેદ મટી ગયો ને, વરતે છે એવા વ્રતમાન રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ભાઈ રે ! ચંદ્ર સૂરજની નાડી જે કહીએ રે, તેનું પાળે છે વ્રતમાન રે ;

ચિત્ત માત્ર જે વચનમાં મૂકે રે ; એથી આવી ગઈ છે સાન રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ક્રિયાશુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને, પ્રગટયું છે નિરમળ જ્ઞાન રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, કીધો વાસના સરવનો ત્યાગ રે…

વચન સુણીને બેઠાં એકાન્તમાં રે…

ભગતિ રૂપી માણી લેજો હાથમાં રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભગતિ રૂપી માણી લેજો હાથમાં રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે,માયા રૂપી વનનો ભે મટી જાય,

જોગ રૂપી દીપક કહીએ ઈ તો, જેનાથી વિષય વાસના બુઝાય રે…

ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે…

ભગતિ રૂપી મણિ જેના રે હાથમાં ને, તેને નડે નહીં  વિષયના વાય રે

અખંડ પ્રકાશ કોઈ દિ’ ઓલાય નૈં ને, ભગતિ હરિની પરગટ થાય રે.

ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે…

હઠ વશ થઈને શઠ કરે સાધના પણ, ભગતિ વિના હરિ  નો ભજાય,

પુરણ પુરષોત્તમને ભગતિ છે વાલી રે, ભગત વશ વૈકુંઠરાય    રે…

ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે…

ભગતિયે વ્રજના વનમાં ઓછવ કીધાં ને, અજિતને જીત્યા એના દાસ

ગંગાસતી એમ બોલિયાં પછે રે, વૃથા નો જાય એની સુવાસ રે…

ભગતિ રૂપી મણિ લીઓને હાથમાં રે…

મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

મેરૂ રે ડગે જેનાં… ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

મેરૂ રે ડગે પણ જેનાં… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે, મરને ભાંગી રે પડે ભરમાંડ રે…

વિપદ પડે પણ વણસે નહિ, ઈ તો હરિજનનાં પરમાણ રે…

મેરુ રે ડગે પણ જેનાં…

હરખ ને શોકની નાવે જેને હેડકી ને, શીશ તો કર્યા કુરબાન રે

સતગુરુ વચનમાં શૂરા થઈને ચાલે,  જેણે મેલ્યાં અંતરનાં માન રે…

મેરુ રે ડગે પણ જેનાં…

ભાઈ રે ! નિત્ય રહેવું સતસંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે

સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે…

મેરુ રે ડગે પણ જેનાં…

ભગતિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનુંમાં વિશવાસ રે

ગંગાસતી એમ બોલિયાં, તમે થાજો સતગુરુજીના દાસ રે…

મેરુ રે ડગે પણ જેનાં…

પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

પાકો પ્રેમ જયારે અંગમાં આવે રે… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે, ત્યારે સાધના સર્વે શમી જાય

કરવું એને કાંઈ નવ પડે રે, એને સહેજે સમાધિ થાય રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

કર્તાપણું સર્વ મટી રે ગયું ત્યારે, જગત જૂઠું જાણ્યું કહેવાય

અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ રે, ત્યારે ખરી દ્રઢતા બંધાય રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

આવા પ્રપંચ એને નડે નહિ રે, જેને મટી ગયો પૂર્ણ વિકાર રે

અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી રે, અટકે નહિ જગત વહેવાર રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…

ભાઈ રે ! શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને, મટી ગયો વાદવિવાદ રે

ગંગાસતી એમ બોલિયાં રે,  એને આવે સુખના સ્વાદ રે…

પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે…