ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

ભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – કરસન સાગઠીયા)

ભગતી કરવી એણે રાંક થઇ ને રહેવું પાનબાઈ… – (ગંગાસતી – મોતીબેન ડાકી)

ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે
સદ્દગુરુ ચરણમાં શીશ નમાવી, કર જોડી લાગવું પાય…
ભક્તિ કરવી એણે…
જાતિપણું છોડીને અજાતિ થાવું ને, કાઢવો વરણ વિકાર રે
જાતિ પાંતિ નહિ હરિના દેશમાં ને, એવી રીતે રહેવું નિર્માન રે…
ભક્તિ કરવી એણે…
પારકા અવગુણ કોઈના જુએ નહિ રે, એને કહીએ હરિના દાસ રે
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, એને દ્રઢ કરવો વિશ્વાસ…
ભક્તિ કરવી એણે…
ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં રે, તો તો જન્મ સફળ થઈ જાય રે…
ભક્તિ કરવી એણે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

4 Responses to“ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી”

  1. Jagdish Gurjar says:

    MAGNIFICENT EFFORT FOR SHARING AND CARING OF
    OUR ETERNAL CULTURAL THREAD. …

    JAGDISH GURJAR
    ANKLESHWAR

  2. Rajesh dangar says:

    vah khub gamyu.bhajan ana mul bhav sathe ane gokira vagar sambhalva malyu.

  3. dilip shukla says:

    khub j anand avyo jay siyaram

  4. real poker says:

    Excellent, what a blog it is! This webpage presents valuable information to us, keep it up.|

Leave a Reply