વસ્તુ વિચારીને દિજીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વસ્તુ વિચારીને દિજીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વસ્તુ વિચારીને દિજીએ રે, જો જો તમે સદપાત્ર રે ;
વરસ સુધી અધિકારીપણું જોવું ને, ફેર ન રહે અણુમાત્ર રે…
વસ્તુ વિચારીને દિજીએ રે…
ગુરુને ક્રોધ થયો એવું જ્યાં લગી જાણે, ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે ;
ગુરુજીના વચનુમાં આનંદ પામે ને, આવીને લાગે એને પાય રે…
વસ્તુ વિચારીને દિજીએ રે…
ભાઈ રે ! એવા શુદ્ધ અધિકારી જેને ભાળો રે, તેને કરજો ઉપદેશ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એને લાગે નહિ કઠણ વચનનો લેશ રે…
વસ્તુ વિચારીને દિજીએ રે…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.

Leave a Reply